
હાલના સામના અંદર સતત માર્ગ અકસ્માતના બનાવો વધતાં રહે છે ત્યારે હાલમાં વધુ એક આવા જ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મણિપુરના નોની જિલ્લામાંથી સ્કૂલ બસ અકસ્માતમાં અનેક વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા છે.
અહીં વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બે સ્કૂલ બસો બેકાબૂ થઈને પલટી ગઈ હતી આ અકસ્માતમાં 7 વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે 40 અન્ય ઘાયલ થયા હતા. સાથે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે નોલી જિલ્લાના બિષ્ણુપુર ખૈપુર રોડ પર આ અકસ્માત થયો હતો.
વિદ્યાર્થીઓને લઈ જતી બંને બસો થામ્બલાનુ ઉચ્ચતર માધ્યમિક શાળાની હોવાનું કહેવાય છે જે તે સમયે અભ્યાસ પ્રવાસ માટે ખોપૂમ જઈ રહી હતી આ દુર્ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાની પણ આશંકા છે.
ઘાયલ વિદ્યાર્થીઓને સારવાર માટે ઈમ્ફાલની મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં 20 થી વધુ વિદ્યાર્થીઓ અહીં આવી ચૂક્યા છે. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
Leave a Reply