PM નરેન્દ્ર મોદીના નિવેદન પર અક્ષય કુમારે આપી પ્રતિક્રિયા, કહ્યું- જો પરિસ્થિતિ બદલાય તો સારું રહેશે…

Akshay Kumar reacted to PM Narendra Modi's statement

બોલિવૂડનો જાણીતો એક્ટર અક્ષય કુમાર વર્ષ 2023માં ફરી એકવાર બોક્સ ઓફિસ પર કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે તે પોતાની ફિલ્મ સેલ્ફીથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર છે. હાલમાં જ અક્ષય કુમારની આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મનું ટ્રેલર પણ લોકોને ઘણું પસંદ આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલર વીડિયોને લઈને પણ લોકો ઘણી ચર્ચા કરી રહ્યા છે. આ ઈવેન્ટમાં અક્ષય કુમાર પણ જોવા મળ્યો હતો. આ ઈવેન્ટ દરમિયાન અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિલ્મો અંગેના નિવેદન પર વાત કરી હતી.

થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે રાજનેતાઓને સલાહ આપી છે કે તેઓ ફિલ્મો પર બિનજરૂરી નિવેદનો કરવાથી બચે. જે બાદ પીએમ મોદીના આ નિવેદનને લઈને બી-ટાઉનમાં ઘણી ચર્ચા થઈ રહી છે.

આ દરમિયાન હવે અક્ષય કુમારે પીએમ મોદીના આ નિવેદન પર વાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેલ્ફીના ટ્રેલર લોન્ચ દરમિયાન, અક્ષય કુમારે પીએમ મોદીના નિવેદનનું સ્વાગત કર્યું અને કહ્યું.

જો વસ્તુઓ બદલાશે તો તે અમારા ઉદ્યોગ માટે ખૂબ જ સારું રહેશે. વધુમાં તેણે કહ્યું કે, ફિલ્મો બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સાથે જ અક્ષય કુમારે પીએમ મોદીને સૌથી મોટા પ્રભાવક ગણાવ્યા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*