
હાલના સમયના અંદર વિરેન્દ સહેવાઘના દીકરાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટના મેદાનમાં તબાહી મચાવનાર વીરેન્દ્ર સેહવાગને તમે ઘણા જોયા હશે પરંતુ હવે તેનો પુત્ર આર્યવીર પણ ધમાલ મચાવવા માટે તૈયાર છે.
વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીરની દિલ્હી ક્રિકેટની અંડર-16 ટીમમાં પસંદગી કરવામાં આવી છે આર્યવીર માત્ર 15 વર્ષનો છે અને તેને પ્રથમ વખત મોટા સ્તરની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે આર્યવીરને વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હી ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ સાથે કહેવાય રહ્યું છે કે આર્યવીરને હજુ સુધી પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી નથી આર્યવીર પણ તેના પિતાની જેમ વિસ્ફોટક બેટિંગ કરે છે.
આવી સ્થિતિમાં ચાહકોને ફરી એકવાર મેદાન પર તેમના ફેવરિટ વીરેન્દ્ર સેહવાગની ઝલક જોવા મળી શકે છે આર્યવીર સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ છે તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણા પ્રેક્ટિસ વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં તે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.
Leave a Reply