નેપાળમાં પેસેન્જર પ્લેન ક્રેશ થતાં 40 લોકોના અવસાન, જેમાં 5 ભારતીયો પણ સવાર હતા…

Passenger plane crash in Nepal

નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 72 સીટર પ્લેન ક્રેશ થયું છે અહીં એક ભયાનક અકસ્માત થયો છે. અકસ્માત બાદ વિમાન સળગવા લાગ્યું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા.

માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોના અવસાન થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હોવાની આશંકા છે.

લેન્ડિંગ પહેલા પહાડી સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. એરપોર્ટ હાલ બંધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેનમાં 5 ભારતીય મુસાફરો પણ સામેલ હતા.

કાઠમંડુ પોસ્ટ અનુસાર, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે વિમાનમાં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા. આ ઘટના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ઓલ્ડ એરપોર્ટ વચ્ચે બની હતી યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શને પ્લેન ક્રેશની માહિતીની પુષ્ટિ કરી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*