જ્ઞાનવાપી મસ્જિદને લઈને પૂજ્ય મોરારી બાપુએ આપ્યું ખતરનાખ નિવેદન…..

મસ્જિદમાથી શિવલિંગ મળી આવતા મોરારી બાપુએ આપ્યું નિવેદન
મસ્જિદમાથી શિવલિંગ મળી આવતા મોરારી બાપુએ આપ્યું નિવેદન

હાલમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને લઈને શરૂ થયેલા વિવાદ અંગે તો  તમે જાણતા જ હશો.ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ માથી શિવલિંગ મળી આવવાનો દાવો કરવામાં આવ્યો છે હાલમાં આ મામલે  મુસ્લિમ પક્ષ સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.

કે જિલ્લા કોર્ટ આ મામલે ચુકાદો આપે જે બાદ બે દિવસમાં કોર્ટ કમિશનર વિશાલસિંહ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવશે જો કે હાલમાં એક તરફ આ મામલે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પોતાની પ્રતિક્રિયા આપતા ભાજપ પર નિશાન સાધતા ભાજપ જરૂરી મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા આ મુદ્દો ઉઠાવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.

તો બીજી ગુજરાતના જાણીતા કથાકાર સંત શ્રી પૂજ્ય મોરારી બાપુએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. મોરારી બાપુએ આ મામલે નિવેદન આપતાં કહ્યું કે સત્ય હંમેશા સત્ય જ રહેશે, તે બદલાશે નહીં.સમગ્ર મામલે ૨ દિવસમાં સત્ય બહાર આવશે તેમને કહ્યું કે ઈતિહાસમાં જે કંઈપણ થયું એનાથી તમામ વાકેફ છે.

જે થયું છે એ ઇતિહાસ કોઈ બદલી ન શકે સમગ્ર મામલે હું પણ અભ્યાસ કરી રહ્યો છુ જ્યાં જ્યાં પણ આવું થયું ત્યાંથી સત્ય બહાર આવશે સમગ્ર મામલો કોર્ટમાં છે અને સત્ય બહાર આવશે જણાવી દઈએ કે આ કેસમાં નિર્ણય લેતા પહેલા જ કોર્ટે કમિશનર અજય મિશ્રાને કેસ અંગેની માહિતી મીડિયામાં આપતા હોવાના આરોપ હેઠળતેમના પદ પરથી હટાવ્યા છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*