
ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ગંભીર ઈજાના કારણે હાલમાં હોસ્પિટલમાં દાખલ છે તાજેતરમાં તેને એક ખતરનાક કાર અકસ્માત થયો હતો, જેમાં તે ટૂંકમાં બચી ગયો હતો. આ જ કારણ છે કે આ વખતે આઈપીએલ 2020માં ઋષભ પંતના સમાવેશની શક્યતા નહિવત જણાઈ રહી છે, કારણ કે તેને સાજા થવામાં અને સંપૂર્ણ ફિટ થવામાં લગભગ 6 મહિના કે તેથી વધુ સમય લાગી શકે છે.
આવી સ્થિતિમાં તેના માટે એક સારા સમાચાર છે કે વગર રમ્યા વિના પણ તેને IPL 2023નો પુરો પગાર મળશે રિષભ પંતના આઈપીએલ 2023માં રમવા અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. આમ છતાં IPLનો પગાર રિષભ પંતને 16 કરોડ આપવામાં આવશે.
આ પૈસા તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI આપશે તમને જણાવી દઈએ કે ઋષભ પંતની તમામ સારવાર અને ખર્ચ બીસીસીઆઈ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે અને નિયમો અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર રહેવાની સ્થિતિમાં આ ખેલાડીઓને બોર્ડ દ્વારા સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવે છે છે.
વીમા કંપની પગાર ચૂકવે છે સંબંધિત ફ્રેન્ચાઇઝી નહીં.આઇપીએલમાં ઘણા ખેલાડીઓ સાથે આવી ઘટનાઓ બની છે. ગયા વર્ષે જ્યારે દીપક ચહર આઈપીએલની એક પણ મેચ રમી શક્યો ન હતો.
આવી સ્થિતિમાં બીસીસીઆઈએ તેને આઈપીએલમાંથી મળેલી રકમ ચૂકવી હતી બીજી તરફ ઋષભ પંતને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ હેઠળ વાર્ષિક રિટેનરશિપ માટે પાંચ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.
Leave a Reply