
દોસ્તો ભારતીય ટીમનાઓપનર બેટ્સમેન શિખર ધવન અને તેમની એક્સ પત્ની આયેશા મુખર્જી ની વચ્ચે તલાકનો કેસ ચાલી રહ્યો છે બંને ઓગસ્ટ 2020 ટહી અલગ થઈ ગયા છે આમ છતાં બંને કપલ એકબીજા પર કીચડ ઉછાડવા અને બદનામ કરી રહ્યા છે.
આવામાં શિખર ધવનની પત્ની આયેશા એ શિખર ધવનને બદનામ કરવા IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલના CEO ધીરજ મલ્હોત્રાને પણ કેટલાક અપમાનજનક સંદેશા મોકલવામાં આવ્યા હતા જેના કારણે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે શિખર ધવનને આયેશા મુખર્જીએ તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી પણ આપી હતી જેના પર ક્રિકેટરે તેની પૂર્વ પત્ની વિરુદ્ધ કેસ પણ કર્યો હતો. જે બાદ કોર્ટ તરફથી આયેશાને પણ આ બધુ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.
આયેશા મુખર્જી ઓસ્ટ્રેલિયન નાગરિક છે. શિખર ધવન અને આયેશા મુખર્જીએ થોડો સમય એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2021માં બંને વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા જણાવી દઈએ કે આયેશા પહેલા પણ બે વાર લગ્ન કરી ચુકી છે.
Leave a Reply