મંદિરમાં હાથીની મુર્તિની નીચે ફસાયો જોરદાર રીતે યુવક, પૂજારીએ આપી આના પર મોટી પ્રતિક્રિયા…

મંદિરમાં હાથીની મુર્તિ નીચે ફસાયેલા યુવક પર આ શું બોલ્યા પૂજારી
મંદિરમાં હાથીની મુર્તિ નીચે ફસાયેલા યુવક પર આ શું બોલ્યા પૂજારી

હાલના સમયના અંદર એક ઘટના વાઇરલ થઈ રહી છે જેમાં ઍક વ્યક્તિ મૂર્તિની નીચે ફસાયેલો જોવા મળે છે અમરકંટકના નર્મદા મંદિરનો જૂનો વીડિયો ફરી વાયરલ થવા લાગ્યો છે. જેમાં એક યુવક હાથીની મૂર્તિ નીચે ફસાયેલો જોવા મળે છે.

જો કે મંદિરના પૂજારીએ કહ્યું કે હાલમાં આવી કોઈ ઘટના બની નથી આ વીડિયો હાલનો હોવાનું કહીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. આ ઘટના આજની નહિ પણ લગભગ 3 વર્ષ પહેલાની છે જેને હવે ષડયંત્ર હેઠળ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

નર્મદા મંદિર અમરકંટકના દર્શન દરમિયાન આ યુવક મંદિરમાં બનેલી હાથીની મૂર્તિમાં ફસાઈ ગયો હતો જેના પર નીચેથી ભક્તો બહાર આવે છે. વાસ્તવમાં નર્મદા મંદિરમાં સ્થાપિત હાથીની પ્રતિમા પર એવી માન્યતા છે કે તેની નીચેથી બહાર નીકળો તો પાપથી મુક્ત થઈ જાવ.

વાયરલ વીડિયોના સંબંધમાં મંદિરના મુખ્ય પૂજારી બંદે મહારાજ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે આ વીડિયો જૂનો છે. લોકો હાથીની નીચેથી સરળતાથી બહાર નીકળી શકે છે બદનામ કરવાના ષડયંત્ર હેઠળ કરવામાં આવેલો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

મંદિર પહોંચેલા ભક્તોએ કહ્યું કે તેઓ પોતે આ સ્થળેથી બહાર આવ્યા છે અને તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી અને હાથીની મૂર્તિની નીચેથી સરળતાથી પસાર થઈ ગયા હતા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*