રિષભ પંતને લઈને શાહરૂખ ખાને કહી દીધી એવી વાત કે સોશિયલ મીડિયા પર થઈ રહી છે ચર્ચા…

What Shahrukh Khan said about Rishabh Pant

ભારતીય ક્રિકેટર ઋષભ પંતના અકસ્માત બાદથી તેની સારવાર દેહરાદૂનમાં ચાલી રહી છે ફેન્સ તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત છે. આ દરમિયાન બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ પંતના જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે અને તેના વિશે એક ટ્વીટ કર્યું છે જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

વાસ્તવમાં શાહરૂખ ખાન તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર #AskSRK સેશન કરી રહ્યો હતો જેમાં ચાહકો તેને પ્રશ્નો પૂછી રહ્યા હતા અને તે તે સવાલોના જવાબ આપી રહ્યા હતા એક ચાહકે તેને કહ્યું કે તમે કૃપા કરીને ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવા માટે શુભેચ્છાઓ મોકલો.

શાહરૂખ ખાને ફેન્સના આ ટ્વિટનો જવાબ આપ્યો પોતાના ટ્વિટ પર તેણે રિષભ પંતને ફાઇટર અને મજબૂત વ્યક્તિ ગણાવ્યો હતો. શાહરૂખ ખાને લખ્યું ઈન્શાઅલ્લાહ તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તે એક ફાઇટર અને ખૂબ જ મજબૂત છોકરો છે.

તમને જણાવી દઇએ કે, ઋષભ પંત 30 ડિસેમ્બરે દિલ્હીથી રૂરકી જતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો. પંતની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી અને આગ લાગી હતી દેહરાદૂનની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ હવે તેને મુંબઈ લાવવામાં આવ્યો છે તેને કપાળ ઘૂંટણ કાંડા અને પગની ઘૂંટીમાં ઈજાઓ થઈ છે.

રિષભ પંતને હવે ભારતીય ક્રિકેટ બોર્ડની દેખરેખમાં રાખવામાં આવશે. પંતની સારવાર હવે મુંબઈમાં કરવામાં આવશે આ સિવાય બીસીસીઆઈની મેડિકલ ટીમ પંતની સ્થિતિનું નિરીક્ષણ કરશે અને જો જરૂર પડશે તો વિદેશમાં પણ તેની સારવાર કરાવી શકાશે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*